૯] પરણિતા પાસે રહેતા ઘરેણાની ચોખવટ :–

Chapter : ઝકાત

(Page : 43-44)

સામાન્ય રીતે પરણેલી ઓરત સોના – ચાંદીના જે ઘરેણા ઉપયોગ કરે છે, તે બધા ઘરેણા તેની માલિકીના નથી હોતા, બલ્કે જે ઘરેણા તેને તેના માં–બાપે આપ્યા છે અથવા તેના ભાઈ–બહેનોએ અથવા તેના કોઈ અન્ય રિશ્તેદારે તેને ભેટ રૂપે આપ્યા છે અથવા જે ઘરેણા તેને પતિ તરફથી મહર પેટે અથવા બક્ષિસરૂપે મળ્યા છે, તે તેની પોતાની અંગત માલિકીના ગણાશે અને જે ઘરેણા તેના પતિ અથવા સસરાએ ખરીદીને તેને માત્ર પહેરવા માટે આપ્યા છે, બક્ષિસ નથી આપ્યા તે તેના પતિ અથવા સસરાની માલિકીના ગણાશે. સામાન્ય રીતે પરણિત ઓરત પાસે આવા વિવિધ પ્રકારના ઘરેણા હોય છે, જેમાંથી તેણે પોતાના ઝકાતના નિસાબમાં ફકત પોતાની માલિકીના ઘરેણા જ ગણવાના રહેશે. પતિ અને સસરાએ વાપરવા આપેલા ઘરેણા તેના નિસાબમાં નહિ ગણાય અને તેના પોતાના ઘરેણા એકલા અથવા પોતાની ચાંદી અને જમા રોકડ રકમ મળીને માલદારીના નિસાબના પ્રમાણમાં હોય તો માત્ર પોતાની માલિકીના સોના – ચાંદી અને રોકડની ઝકાત તેણે આપવી પડશે, બીજાઓની માલિકીના સોના – ચાંદીની ઝકાત તેણે નહિ આપવી પડે.

Log in or Register to save this content for later.