Chapter : નમાઝ
(Page : 218)
સવાલ :– કોઈ માણસ મકરૂહ વખતમાં નમાઝ શરૂ કરી દે તો શું એની નમાઝ તોડાવી દેવી કે પૂરી કરવા દેવી ?
જવાબ :– મકરૂહ વખતના બે પ્રકાર છે :
(૧) તુલૂએ આફતાબ, ખરા બપોરે અને ગુરૂબે આફતાબ. આ વખતમાં કોઈ ફર્ઝ, નફલ અથવા વાજિબ નમાઝ શરૂ કરે તો તે નમાઝ તોડી નાખવી અને ગેરમકરૂહ વખતમાં પઢવી વાજિબ છે.
(ર) ફજરથી લઈ તુલૂએ આફતાબ સુધીનો વખત અને અસરની નમાઝથી લઈ આફતાબના પીળા પડતાં સુધીનો વખત. આ વખતમાં અગર ફર્ઝ કઝા નમાઝ અથવા વિત્રની કઝા અથવા સજદએ તિલાવત અદા કરવામાં આવે તો વિના કરાહતે જાઈઝ છે. તોડવાની જરૂર નથી અને જો આ વખતમાં ફાસિદ થએલ (નફલ–સુન્નત) નમાઝની કઝા, મન્નતની નમાઝ, તવાફની બે રકઅતો પઢવામાં આવે તો તે મકરૂહ છે અને તેને તોડવી અને બીજા કોઈ ગેરમકરૂહ વખતમાં પઢવી વાજિબ છે. (શામી : ૧/રપ૦)
Log in or Register to save this content for later.