૮] કોઈની મળેલી વસ્તુ અને બેંક વ્યાજના હકદાર રિશ્તેદારો :–

Chapter : ઝકાત

(Page : 42-43)

જો કોઈની ખોવાયેલી વસ્તુ બીજાને મળે અને તલાશ કરવા છતાં તેનો માલિક ન મળે અને જેને તે વસ્તુ મળી હોય તે માલદાર હોય તો તેના માટે હુકમ આ છે કે તે મળેલી વસ્તુના માલિક તરફથી ગરીબોને સદકહ કરી આપે, આવી મળેલી વસ્તુઓનો સદકહ પોતાના ગમે તે ગરીબ રિશ્તેદારને આપવો જાઈઝ છે, ચાહે તે રિશ્તેદારથી સદકહ કરનારને વિલાદતનો વંશીય સંબંધ હોય કે ન હોય.

               એવી જ રીતે બેંક વ્યાજનો હુકમ છે કે હરામ માલથી છુટકારા ની નિય્યતથી તેના મૂળ માલિક તરફથી ગરીબોને સદકહ કરી આપે અને તે વ્યાજ પોતાના ગમે તે ગરીબ રિશ્તેદારને આપવું જાઈઝ છે, ચાહે તે રિશ્તેદારથી વિલાદતનો વંશીય સંબંધ હોય કે ન હોય, માટે બેંક વ્યાજ પોતાના ગરીબ મા–બાપ, પોતાની ગરીબ બાલિગ અવલાદ અને પોતાની ગરીબ પત્ની અને પત્નીએ પોતાના ગરીબ પતિને આપવું જાઈઝ છે, અલબત્ત પોતાની નાબાલિગ અવલાદને આપવું જાઈઝ નથી.                  (શામી –૩/૩ર૧, ઈમ. મુફતીન – ૪પ૬)

Log in or Register to save this content for later.