[૧૪] મકાન બાંધકામની રકમ અને સામાનનો હુકમ

Chapter : હજ

(Page : 57-58)

સવાલ :– માણસ કિરાયાના મકાનમાં રહે છે પોતાની માલિકીનું ઘર નથી અને મકાનની જરૂર છે અને એ માણસ આવેલા પૈસામાંથી (હજના મહિના આગળ અથવા હજના મહિનામાં આવેલી રકમ) મકાન માટે અલગ રકમ કાઢી લે છે અને બાકી રકમ નિસાબ પ્રમાણે થતી નથી તો શું હજ ફર્ઝ થશે?

જવાબ :– જો હજના સમયથી પહેલાં હજના પાત્ર આવેલી રકમ હજના સમય સુધી બાકી રહે તો ચાહે તેમાંથી મકાન બાંધવાની રકમ અલગ કાઢી લેવામાં આવે તો પણ હજ ફર્ઝ થઈ જશે અને મકાનની રકમ અલગ કાઢી લેવાનો કોઈ એઅતેબાર નહિ થાય. અલબત્ત, જો હજના સમય પહેલાં રકમ આવી અને હજનો સમય આવતાં પહેલાં મકાનના મટીરીયલમાં ખર્ચાય ગઈ, હજનો સમય આવતાં હજના ખર્ચ જેટલી રકમ બાકી ન રહી તો આ સૂરતમાં હજ ફર્ઝ નહિ થાય.

                હજના મહિનાઓમાં આવેલી હજ પઢવા પાત્ર રકમથી હજ ફર્ઝ થઈ જશે ચાહે પોતે ભાડાના મકાનમાં રહેતો હોય અને માલિકીનું મકાન બનાવવાની જરૂરત પણ હોય તો પણ આ સૂરતમાં હજ ફર્ઝ થઈ જશે.    (શામી–ર)

Log in or Register to save this content for later.