Chapter : નિકાહ
(Page : 36-37)
સવાલ :– એક ભાઈની બે છોકરીઓ છે, બંનેના વકીલ અને ગવાહ એક જ હતા, નિકાહ પઢાવનાર મોલ્વી સાહેબે પહેલા દુલ્હાની નિકાહ ખ્વાની વખતે વકીલ અને ગવાહોને બરાબર પૂછીને પછી ઈજાબ – કબૂલ કરાવ્યા, પરંતુ બીજા દુલ્હા વખતે વકીલ અને ગવાહોને પૂછવાનું ભુલી ગયા અને દુલ્હા સામે ઓરતે પોતાની જાતને ૧ર૭.પ૦ મહેર સાથે વકીલની વકાલતથી તેઓના નિકાહમાં આપ્યાની રજૂઆત કરી અને દુલ્હાએ કબૂલાત આપી તો નિકાહ દુરસ્ત ગણાશે કે ફરીવાર પઢવા પડશે?
જવાબ :– મોલ્વી સાહેબે વકીલને પૂછયા વગર જે છોકરીના નિકાહ પઢાવ્યા તે નિકાહ દુરસ્ત તો ગણાશે પરંતુ નવેસરથી છોકરીની મંજૂરી અને રજા ઉપર મોકૂફ ગણાશે. જો મોલ્વી સાહેબે પઢાવેલા નિકાહ વિષે છોકરીથી પૂછવામાં આવે અને છોકરી તે નિકાહને મંજૂર રાખે તો મજકૂર નિકાહ સંપૂર્ણ અને જાઈઝ ગણાશે. અને જો આ નિકાહ બાદ નવેસરથી છોકરીની મંજૂરી મેળવતા પહેલાં તેની રૂખસતી થઈ ગઈ અને છોકરીની રાજી ખૂશીથી પતિ – પત્ની તરીકેનો સંબંધ પણ થયો તો પણ છોકરી તરફથી મંજૂરી ગણાશે અને નિકાહ સંપૂર્ણ થઈ જશે. (દુ.મુખ્તાર શામી–ર/૩૦૦,૩ર૬)
Log in or Register to save this content for later.