Chapter :
(Page : )
સવાલ :– સફરની હાલતમાં રેલ્વે ગાડીમાં નમાઝ પઢવી હોય તો બેસીને પઢી શકાય કે નહિ ?
જવાબ :– જો માણસ તંદુરસ્ત હોય અને ઊભા રહીને નમાઝ પઢવાની શકિત હોય અને રેલ્વે ગાડીમાં ઊભા રહીને નમાઝ પઢવામાં કોઈ રુકાવટ અને અડચણ ન હોય તો ફર્ઝ અને વાજિબ નમાઝ બેસીને પઢવી જાઈઝ અને દુરુસ્ત નથી. અલબત્ત, જો ગાડીમાં ભીડ હોય અને ઊભા રહીને ફર્ઝ–વાજિબ નમાઝ પઢવા માટે જગ્યા ન મળે અને કોઈ નઝદીકના સ્ટેશન ઉપર નીચે ઉતરીને નમાઝ પઢી શકાય એટલો વખત પણ ન હોય તો આવી મજબૂરીની હાલતમાં ફર્ઝ અને વાજિબ નમાઝ નમાઝના વખતની અંદર ગાડીમાં બેસીને પઢી લેવી જાઈઝ છે, પરંતુ આવી હાલતમાં ગાડીમાં બેસીને પઢેલી નમાઝ ઊભા રહેવાની શકયતા અને સરળતા મળતાં ઊભા રહીને ફરીવાર પઢી લેવી ઝરૂરી છે. (‘શામી ૧/પ૦૮, હાશિયહ ‘ઈમ્દાદુલ ફતાવા ૧/પ૮૬)
ફજરની બે રકઆત સુન્નત નમાઝને પણ ઘણા ફુકહાએ કિરામ ફર્ઝ અને વાજિબ નમાઝની જેમ વિના મજબૂરીએ બેસીને પઢવાને નાજાઈઝ ફરમાવે છે. માટે ફજરની સુન્નતમાં પણ ઉપરોકત વિગતનો ખ્યાલ રાખવો જોઈએ. (‘શામી ૧/૪પ૩)
(page number 54)
Log in or Register to save this content for later.