Chapter : હજ
(Page : 53)
સવાલ :– એક વ્યકિત પાસે હજના પૈસા છે અને એના ઉપર હજ ફર્ઝ છે, પરંતુ એની માની તબિયત સારી નથી, દવા – ઓપરેશન કરાવવું જરૂરી છે. તો એમાં પૈસા ખર્ચાય જાય એવું છે અને પૈસા ખર્ચાયા બાદ એને પૂરો વિશ્વાસ છે કે એ ઝિંદગીમાં કદી હજ નહિ કરી શકશે અને એની મા કરતાં મુકદ્દસ જગા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારતની ઘણી તમન્ના છે તો હવે તે કયો માર્ગ અપનાવે.
જવાબ :– મા અગર પોતાના દવા દારૂ માટે શકિતમાન નથી, તે ગરીબ છે તો અવલાદ ઉપર તેઓની ખિદમત અને દવા કરવી વાજિબ છે, જો વાલિદહની બીમારીના ઈલાજમાં તે રકમ ખર્ચ થઈ જાય કે જે રકમના લઈ હજ ફર્ઝ થાય છે. અને વાલિદહની હાલની બીમારી પહેલાં આ હજ ફર્ઝ થવા પાત્ર રકમ તેની પાસે ન હતી તો તેવા માણસ ઉપર હજ ફર્ઝ નહિ થાય અને જો વાલિદહની બીમારી પહેલાં તેની પાસે હજ ફર્ઝ થવા પાત્ર રોકડ રકમ અથવા બીજી કોઈ પોતાની જીવન જરૂરિયાત ઉપરાંતની મિલકત હોવાથી તેના ઉપર હજ ફર્ઝ થઈ ચૂકી હતી તો હવે આ રકમ વાલિદહની બીમારીના ઈલાજમાં ખર્ચ થઈ જવાથી હજની ફર્ઝિયત બાકી રહેશે.
રહી વાત આવી હાલતમાં હજ માટે જવાની, તો જો વાલિદહ પોતાની બીમારીના લઈ ખિદમતના મોહતાજ હોય તો તેઓની રાજીખુશી મેળવ્યા સિવાય તેઓને નારાજ કરીને હજ માટે જવું મકરૂહે તહરીમી છે. (શામી ર/૧પ૦/૬૭૦)
Log in or Register to save this content for later.