Chapter : નમાઝ
(Page : 208)
સવાલ :– માહે રમઝાનના ટાઈમ ટેબલમાં દા.ત., સહરીનો આખરી સમય ૪–૩૬ લખેલો હોય અને સબ્હે સાદિકનો સમય ૪–૪૬ લખેલો હોય તો હવે આ દસ મીનીટના ગાળામાં તહજ્જુદની નમાઝ પઢી શકાય કે નહિ ? અને સુબ્હે સાદિકના સમયથી કેટલી મીનીટ પહેલાં તહજજુદની નમાઝ બંધ કરી દેવી જોઈએ ?
જવાબ :– તહજ્જુદની નમાઝનો વખત સુબ્હે સાદિક થતાં સુધી બાકી રહે છે. માટે પૂછેલી સૂરતમાં તહજ્જુદની નમાઝ ટાઈમ ટેબલમાં સુબ્હે સાદિકના લખેલા સમય એટલે કે ૪–૪૬ સુધી પઢી શકાય છે, પરંતુ એહતિયાતની રૂએ સુબ્હે સાદિકના લખેલા સમયથી બે–ત્રણ મીનીટ પહેલાં તહજ્જુદની નમાઝ પૂરી કરી લેવી જોઈએ, કારણકે સુબ્હે સાદિક તુલૂઅ થવાથી તહજ્જુદનો વખત પૂરો થઈ જાય છે અને સુબ્હે સાદિક પછી ફજરની બે રકાત સુન્નત સિવાય કોઈ નફલ નમાઝ પઢવી મકરૂહ છે.(‘શામી ૧)
Log in or Register to save this content for later.