[૧૬ર] અસર અને ફજર પછી નફલ અને મન્નતની નમાઝ મકરૂહ છે

Chapter : નમાઝ

(Page : 201)

સવાલ :– અસર અને ફજરની નમાઝ પછી નફલ નમાઝ પઢવાનો હુકમ નથી પરંતુ કોઈ માણસ સુબ્હે સાદિકથી લઈ ફજરની ફર્ઝ નમાઝની જમાઅત શરૂ થતાં સુધીના સમયમાં કોઈ નફલ નમાઝ અથવા મન્નત નમાઝ પઢે તો કંઈ વાંધો છે ?

                એવી જ રીતે અસરની અઝાન પછીથી ફર્ઝની જમાઅત શરૂ થતાં પહેલાં કોઈ નફલ નમાઝ અથવા મન્નત નમાઝ પઢે તો શું હુકમ છે ?

જવાબ :– સુબ્હે સાદિક થઈ ગયા પછી ફજરની ફર્ઝ નમાઝ એકલી જાતે કે જમાઅત સાથે પઢતાં પહેલાં ફજરની બે સુન્નતો સિવાય કોઈ નફલ નમાઝ કે મન્નતની નમાઝ પઢવી મકરૂહે તહરીમી છે. જેવી રીતે કે ફજરની ફર્ઝ પઢયા બાદ કોઈ પણ નફલ અથવા મન્નતની નમાઝ  પઢવી મકરૂહે તહરીમી છે.

                અને અસરની અઝાન પછી એકલી જાતે કે જમાઅત સાથે ફર્ઝ નમાઝ પઢતાં પહેલાં જેટલી નફલ નમાઝ અને મન્નત નમાઝ પઢવા ચાહે પઢી શકાય છે. (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/રપ૧)

Log in or Register to save this content for later.