Chapter : તહારત
(Page : 190)
સવાલ :– સંડાસની દુર્ગંધ દૂર કરવાનો એક ઉપાય આ પણ છે કે તેમાં નમક (મીઠું) નાખવામાં આવે છે, તો શું સંડાસની દુગઁધ દૂર કરવા તેમાં નમક નાખી શકાય ? અમારું માનવું છે કે નમક નાખવું સારું નથી, પણ તેને સંડાસમાં નાખવાથી ગુનાહ નહિ થાય.
જવાબ :– જે પ્રમાણે ખાસ ખાવા–પીવાની વસ્તુઓથી ઈસ્તિન્જો કરવો મના અને મકરૂહ છે એવી જ રીતે સંડાસની દુગઁધ દૂર કરવા માટે ખાવામાં ઉપયોગ થતા નમકનું તેમાં નાંખવું એ પણ દુરુસ્ત નથી. (‘શામી ૧)
આજકાલ તો સંડાસની દુર્ગંધ દૂર કરવા માટે ઘણા કેમિકલ ઉપાયો મળી શકે છે, માટે નમકનો ઉપયોગ ન કરતા કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ.
Log in or Register to save this content for later.