Chapter :
(Page : )
સવાલ :– કોઈ માણસ તહજ્જુદની નમાઝ જમાઅત સાથે પઢવા ચાહે તો પઢી શકે છે કે નહિ ? અને તહજ્જુદનો સમય કયાંથી કયાં સુધી છે ?
જવાબ :– તહજ્જુદની નમાઝમાં ઈમામ સાથે એક અથવા બે મુકતદી હોય તો જમાઅત જાઈઝ છે અને ત્રણ મુકતદીઓ હોય તો એવી જમાઅતના મકરૂહ હોવામાં ઈખ્તિલાફ છે અને ચાર મુકતદીઓ હોય તો મકરૂહ છે. અને તરાવીહ તથા કુસૂફ સિવાય તહજ્જુદ અને બીજી નફલ નમાઝ દરેક વ્યકિત જમાઅત કર્યા વગર એકલી પઢે, એ જમાઅતથી પઢવા કરતાં અફઝલ અને કરાહત મુકત છે. (‘શામી ૧/૪૭૬)
ઈશાની ફર્ઝ નમાઝથી ફારિગ થવા બાદ સુબ્હે સાદિક સુધી તહજ્જુદનો સમય રહે છે પરંતુ તહજ્જુદ અને વિતર માટે રાતનો આખરી સમય સુબ્હે સાદિકથી પહેલાં પહેલાં અફઝલ છે. માટે જે માણસને પોતે ઉંઘમાંથી જાગી જવાનો વિશ્વાસ હોય તેણે આખરી સમયમાં પઢવી અફઝલ છે. નહિંતર ઈશાની સુન્નતો બાદ પઢી લેવામાં આવે. (‘શામી ૧/૪પ૯, ‘કબીરી ર૩પ)
(page number 40)
Log in or Register to save this content for later.