Chapter : નમાઝ
(Page : 490-491)
સવાલ :– જે કોઈ મુસલમાન ભાઈ ત્થા મુસ્લિમ બહેનનો ઈન્તિકાલ થાય છે ત્યાર બાદ તેમના વારસદારો મરહૂમને સવાબ પહોંચે એ માટે ત્રીજા દિવસે ખતમ પઢાવે છે અને ચોથી જુમેરાતે પણ ખતમ પઢાવી ગરીબ ગુર્બાને ખવડાવે છે. ત્યાર બાદ ૪૦મા દિવસે ફરી ખતમ પઢાવે છે, હર એક ખતમ પછી દૂધ, જલેબી ગમે તે આઈટમ વહેંચવામાં આવે છે. શું ઉપર જણાવેલ વિગત શરીઅતમાં જાઈઝ છે કે નાજાઈઝ? ખતમ પછી દૂધ જલેબી આવનાર ભાઈઓને વહેંચવમાં આવે છે, તેઓ ટાઈમનો ભોગ આપે છે તેઓને દૂધ જલેબી આપવામાં આવે છે શરીઅતમાં આનો શું હુકમ છે ?
જવાબ :– મય્યિતના ઈસાલે સવાબ માટે કુર્આન શરીફ પઢવું, ગરીબોને કાચુ કે પાકું ખાવુ આપવું, મસ્જિદ મદ્રસામાં કોઈ ચીઝ વકફ કરવી આ બધું નેકીનું કામ છે અને મુસ્તહબ છે, પરંતુ કુરઆન ખ્વાની માટે અમુક દિવસો અને મહિનાઓને નકકી સમજવા અને કુરઆન પઢનારાઓને દૂધ જલેબી કે અન્ય કોઈ વસ્તુ ખવડાવવી એ મકરૂહ અને નાજાઈઝ છે, અલ્લામા શામી (રહ.) એ આવા કામોની સખત તરદીદ ફરમાવી તેના નુકસાનો બયાન ફરમાવ્યા છે, માટે કોઈ દિવસ નકકી ન સમજવામાં આવે, પઢનારને કોઈ ખાવું ન ખવડાવવામાં આવે તો જાઈઝ છે અને બેહતર સૂરત આ છે કે ગામના મદ્રસાના મોલ્વી સાહેબને છોકરાઓ પાસે કુઆન ખ્વાની કરાવી ઈસાલે સવાબ માટે કહી આપવામાં આવે. (શામી–૬૦૩ ભાગ–૧/પ)
Log in or Register to save this content for later.