[૩૮૯ ] કબ્રસ્તાનમાં કુરસીઓ મૂકવી

Chapter : નમાઝ

(Page : 489-490)

સવાલ :–  કબ્રસ્તાનમાં એક ભાઈ પોતાના તરફથી સિમેન્ટ અથવા બીજી કોઈ પણ પ્રકારની મોટી ખુરસીઓ મૂકવા માંગે છે મય્યિતને જયારે દફન કરવા માટે કબ્રસ્તાનમાં લાવે તો જેટલીવાર દફનવિધિ ચાલે ત્યાં સુધી જે લોકો મઅઝૂર હોય અથવા ન હોય બેસી શકે, તો કબ્રસ્તાનમાં ખુરસીઓ મૂકી શકાય કે નહિ? જયારે પણ કબ્રસ્તાનમાં જઈએ ત્યારે દુઆ વગેરે ત્યાં બેસીને પઢી શકાય કે નહિં ?

જવાબ :– કબ્રસ્તાનમાં કુરસીઓ મૂકવી અને બનાવવી બેહતર નથી, કારણકે કબ્રો બનાવવાની જગ્યા રોકાશે અને લોકો ત્યાં બેસીને દુન્યવી વાતો કરશે હાલાંકે કબ્રસ્તાનમાં દુન્યવી વાતો ન કરવી જોઈએ, કબ્રસ્તાન મય્યિતને દફન કરવા જવું જોઈએ અથવા ઈસાલે સવાબ અને દુઆએ મગફિરત માટે અને ઈબ્રતના હેતુથી જવું જોઈએ. ત્યાં બેસી દુન્યવી વાતો ન કરવી જોઈએ અને ઉભા રહીને ઈસાલે સવાબ કરવો અને દુઆ કરવી એ બેહતર છે.     (આલમગીરી – ૧/પ)

Log in or Register to save this content for later.