Chapter :
(Page : )
સવાલ :– તહિય્યતુલ્ વુઝૂ અથવા મસ્જિદ પઢવાની હાલતમાં અઝાન થાય તો શું કરવું ? અઝાનને એક–બે મિનીટ બાકી હોય તો મજકૂર નમાઝ પઢી શકાય કે નહિ ?
જવાબ :– તહિય્યતુલ્ વુઝૂ અથવા મસ્જિદ પઢવાની હાલતમાં અઝાન થાય તો પણ મજકૂર નમાઝ ચાલુ રાખવી જોઈએ, ન નમાઝ તોડવાનો હુકમ છે, ન નમાઝમાં અઝાનનો જવાબ આપવાનો હુકમ છે, બલકે નમાઝની હાલતમાં અઝાનનો જવાબ આપશે તો નમાઝ ફાસિદ થઈ જશે. (તહતાવી કમ મરાકી ૧૧૦)
તહિય્યતુલ્ વુઝૂ, વુઝૂ પછી અંગો સુકાતા પહેલાં તુરત શરૂ કરી દેવી અફઝલ છે અને તહિય્યતુલ્ મસ્જિદ, મસ્જિદમાં દાખલ થઈને બેસતાં પહેલાં તુરત પઢી લેવી અફઝલ છે, માટે વુઝૂ પછી અથવા મસ્જિદમાં દાખલ થયા પછી ચાહે અઝાનને એક–બે મિનિટ બાકી હોય તો પણ મજકૂર નફલ નમાઝ કોઈ કરાહત વગર પઢી શકાય છે. (તહતાવી ર૧પ, શામી ૧/૪પ૮) ( ર–૧ર–૧૪૦૩ હિ. સ. )
(page number 39)
Log in or Register to save this content for later.