Chapter : નમાઝ
(Page : 487-488)
સવાલ :– અમરેલી મેમન જમાઅત તરફથી છેલ્લા ૧૧ વર્ષથી એમ્બ્યુલન્સ સેવા ચાલે છે જેનો લાભ અમરેલી જિલ્લાની આમ જનતા લે છે હવે અમો શબ–વાહિની (ડેડ બોડી વાન) સેવા શરૂ કરવા ઈચ્છીએ છીએ આ સેવાનો ઉપયોગ ડેડ બોડીને તેમના ઘરે, ઘરથી કબ્રસ્તાન સુધી, કે સ્મશાનગૃહ સુધી લઈ જવા માટે વાપરવાની રહે છે.
હવે બિન મુસ્લિમ (ગૈરકૌમ) અમારી પાસે આ સેવાનો ઉપયોગ ડેડ બોડીને સ્મશાન ગૃહ લઈ જવા માંગણી કરે તો આ શબ વાહિનીને અમારે આ કામ માટે આપવી કે નહીં?
અમારો પગારદાર ડ્રાઈવર મુસ્લિમ છે શું તેણે જવું કે નહિં? અથવા ગૈરકૌમનો ડ્રાઈવર મોકલી આ સેવા આપી શકાય? આ સેવા અમો રાહતદરે આપવાના છીએ. તો ઉપરોકત બાબતે શરઈ માર્ગદર્શન આપશોજી.
જવાબ :– મજકૂર શબવાહિની ગૈર મુસ્લિમની લાશ તેઓના ઘરેથી કે દવાખાનેથી તેઓના સ્મશાનગૃહ સુધી લઈ જવા માટે ભાડે આપી શકાય છે, શબવાહિનીમાં સામાન્ય રીતે ડેડ બોડી સાથે તેની અંતિમવિધિ કરનાર અમુક માણસો પણ સાથે બેસે છે, અને શબ વાહિની દ્રારા ગેર મુસ્લિમની લાશ લઈ જવા માટે મુસ્લિમ અને ગેર મુસ્લિમ બન્નેવ ડ્રાઈવીંગ કરી શકે છે, અલબત્ત, મુસ્લિમ ડ્રાઈવર ડેડ બોડી શબવાહિનીમાંથી ઉતાર્યા પછી તેની અંતિમ વિધિમાં ભાગ ન લઈ શકે.
(ખુ.ફતાવા–૩/૧પ૦, કાઝીખાન કમ આલમ–ર/૩ર૪, આલમગીરી–૪/૪૪૯)
Log in or Register to save this content for later.