Chapter : નમાઝ
(Page : 485-486)
સવાલ :– અમારા ગામમાં ઈન્તિકાલ થયેલ વ્યકિતની એવી વસિય્યત હોય છે તેમજ મર્હૂમના સગા–વહાલાઓની એવી ઈચ્છા હોય છે કે મરનારની કબર તેના મરહૂમ માં–બાપ, દાદ–દાદી, ભાઈ–બહેન, ખાવિન્દ–ઓરત વગેરેની બાજુમાં જ ખોદવામાં આવે, અમારા ગામમાં દરેક કુટુંબો અને ખાનદાનો આ રીતે કબરો ખોદાવી દફન થતા આવ્યા છે. હવે જો કબ્રસ્તાનનો વહીવટ બરાબર કરી શકાય તે મકસદથી એક લાઈનમાં જ કબરો ખોદવામાં આવે અને ખાનદાનોની મરજી મુજબ ન ખોદવામાં આવે તો શરઈ બાધ આવશે ખરી ?
મરહૂમ અથવા મરહૂમાની યાદ રહે કે ફલાણા ભાઈ કે બહેનની કબર છે એ માટે એવા પથ્થર કે જેના ઉપર ફકત નંબર લગાવી દેવામાં આવે. દા.ત, એ–૧, એ–ર, એ–૩ આ પ્રમાણે લાઈનબંધ કબર ખોદવા માટે ઈસ્લામ શું ઈજાઝત આપે છે?
જવાબ :– આમ વકફ કબ્રસ્તાનમાં લાઈનબંધ કબ્રો બનાવવી અને ઓળખ માટે નબંર લગાડવા જાઈઝ છે અને બધા સગાઓની કબ્રોની ઝિયારતની સરળતા માટે એક ખાનદાનના માણસોને એક જગ્યાએ સાથે દફન કરવા એ પણ જાઈઝ છે. (શામી–૧)
Log in or Register to save this content for later.