[૩૮૩ ] મય્યિતનું માથું આગળ રાખીને લઈ જવું

Chapter : નમાઝ

(Page : 484-485)

સવાલ :– હમારા  વલસાડ શહેરમાં પહેલા મુરદાને માથા તરફથી જનાઝામાં લઈ જતા હતા હવે એક મોલ્વી સાહેબ જણાવે છે કે જનાઝાને એવી રીતે લઈ જવો જોઈએ કે જેથી પગ આગળ હોય અને માથું પાછળ, આ એક દીની મસ્અલો છે અને તે માટે મુર્દાને કબ્રસ્તાનમાં પગ તરફથી લઈ જવો જોઈએ કે કેમ ? મુર્દાને જનાઝહમાં એવી રીતે સુવડાવવામાં આવે છે કે પ્રથમ તેના પગ આવે અને પાછળ માથું.

જવાબ :– મય્યિતને કબ્રસ્તાન લઈ જતી વખતે તેનું માથુ આગળ હોવું જોઈએ. આલમગીરી–૧/૧૬ર માં આ વાતની ચોખવટ કરવામાં આવી છે કે ચાલતી વખતે મય્યિતનું માથું આગળ રાખવું જોઈએ. શામી ભાગ–૧/પ૯૭ માં મય્યિતને ઉઠાવવાનો તરીકો આ પ્રમાણે લખ્યો છે કે ઉઠાવનાર પ્રથમ પોતાના જમણા ખભા ઉપર મય્યિતનો આગળનો જમણો ભાગ ઉઠાવે અને પછી પાછળનો જમણો ભાગ ઉઠાવે, પછી પોતાના ડાબા ખભા ઉપર મય્યિતનો આગળનો ડાબો ભાગ અને પછી મય્યિતનો પાછળનો ડાબો ભાગ ઉઠાવે. જાહેર છે કે જો પગ આગળ રાખવામાં આવે તો મય્યિતનો ડાબો ભાગ ઉઠાવનારના જમણા ખભા ઉપર રહેશે અને પછી મય્યિતનો જમણો ભાગ ઉઠાવનારના ડાબા ખભા ઉપર રહેશે, મજકૂર વિગતથી માલૂમ પડયું કે મૌલ્વી સાહેબનું મંતવ્ય દુરૂસ્ત નથી. તેઓ કયા આધારે આ વાત કહે છે, તેની તહકીક કરવી જોઈએ. (ઈ.ફતાવા – ૧ / ૭ર૪)

Log in or Register to save this content for later.