[૩૮ર ] કબ્રસ્તાનમાં અગરબત્તી સળગાવવી

Chapter : નમાઝ

(Page : 483-484)

સવાલ :– મારા ખ્યાલમાં છે કે મેં કિતાબમાં આ પ્રમાણે પઢેલું કે જયાં સુધી એક અગરબત્તી કબ્રસ્તાનમાં સળગતી રહે છે ત્યાં સુધી તે કબ્રસ્તાનના મુર્દાઓને અઝાબ થતો રહે છે તો શું આ મારું પઢેલું કોઈ કિતાબમાં છે? અને આ પ્રમાણે કોઈપણ કિતાબમાં ન હોય તો  જવાબમાં ના લખી આપશો, કબ્રસ્તાનમાં અગરબત્તી સળગાવવું ના જાઈઝ કે હરામ હોય એવો કે મનાઈ હોય એવો ફતવો કિતાબના હવાલા સાથે લખશોજી.

જવાબ :– કબ્રસ્તાનમાં અથવા કબ્ર ઉપર સુગંધ માટે અગરબત્તી સળગાવવાનો કોઈ સબૂત હદીસ કે ફિકહની કોઈ કિતાબથી મળતો નથી, કબ્રમાં પાકી ઈંટના ઉપયોગના મકરૂહ હોવાની જે હિકમત બયાન કરવામાં આવી છે કે તે આગમાં પાકેલી વસ્તુ છે એટલે તેનો ઉપયોગ વિશેષ રીતે મકરૂહ છે.

               વળી, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ કબ્ર ઉપર દીવો સળગાવનાર ઉપર લઅનત ફરમાવી છે. (મિશ્કાત–૭૧)

               અને દીવો સળગાવવાને મુલ્લા અલી કારી (રહ.) એ જહન્નમની નિશાનીઓમાંથી લખ્યું છે, કારણ કે તેમાં આગ છે.   (મિરકાત – ર/ ર૧૯)

               અને અગરબત્તીમાં પણ આગ છે માટે કબ્ર ઉપર અગરબત્તી સળગાવવી જાઈઝ નથી.

Log in or Register to save this content for later.