Chapter : નમાઝ
(Page : 481-482)
સવાલ :– હમારા રિશ્તેદારની કબર પર ખાડો પડી ગયો છે તેના ઉપર મટોડુ નાખવાનો વિચાર છે તો કબર ઉપર મટોડું નાખવું કેવું છે જાઈઝ છે કે નહિ ? અગર જાઈઝ હોય તો મટોડુ કયું ચાલશે, ઘણા લોકો કહે છે કેે પોતાના ખેતરનું જ મટોડુ જોઈએ બીજી જગ્યાનું નહિ. ખુલાસાવાર જણાવશો.
જવાબ :– જે કબર ખાડો પડવાથી બેસી ગઈ હોય, તેના ઉપર પાક માટી નાખી ઠીક કરી શકાય છે, અને ગમે તે જગ્યાની પાક માટી નાખી શકાય છે, પોતાના ખેતરનું જ મટોડું હોવું જરૂરી નથી, અલબત્ત, એટલી માટી ન નાખવામાં આવે કે તે ઘણી ઉંચી થઈ જાય, અને જો કબ્ર ઘણી જૂની હોય, તેમાંની મય્યિત માટી થઈ ગઈ હોય તો હવે નવી માટી નાખી ઉંચી કરવી જરૂરી નથી. (ફ.મહમૂદિય્યહ – ૭,૯,૧૦)
Log in or Register to save this content for later.