[૩૭૭ ] જમાઅત પછી આવનાર પ્રથમ નમાઝે જનાઝહ પઢે

Chapter : નમાઝ

(Page : 479-480)

સવાલ :– હમારે ત્યાં અસરની નમાઝની જમાઅત થઈ ગયા પછી જનાઝો મસ્જિદમાં આવ્યો. જનાઝહની સાથે આવવાવાળા ભાઈઓને અસરની નમાઝ પઢવાની બાકી હતી. તો અમે જનાઝો એક બાજુ રાખી સહનમાં બીજી જમાઅત (અસર) પઢવાનું નકકી કર્યુ તો અમારી જુમ્અહ મસ્જિદના ઈમામ સાહેબ મવ. મુહમ્મદ મુસ્લિમ બંગાલી કે જેઓ ફકત કુર્આન ભૂલેલા હાફિઝ છે, તેમણે ફતવો આપ્યો કે ”જિસકી  નમાઝ બાકી હો વો બાદમેં પઢના, પહલે જનાઝહ પઢા જાએ.” હવે વાત રહી મારી સમજની, મને  એમ છે કે પહેલાં ફર્ઝ અદા કરાય અને પછી ફર્ઝે કિફાયા અદા કરાય તો હવે નકકર હકીકત શરીઅતથી શું છે? આવો પ્રસંગ બને ત્યારે પહેલાં બાકીની ફર્ઝ નમાઝ પઢવી કે, પેહલાં જનાઝો પઢવો ? અમારે ત્યાં આવું ઘણી વાર બને છે તેથી આજે પૂછી રહયો છું.

જવાબ :– જો જનાઝો ગુસલ કફન આપી ફર્ઝ નમાઝની જમાઅતના વખતથી પહેલાં તૈયાર થઈ જાય તો પહેલાં જનાઝહની નમાઝ પઢી લેવામાં આવે અને ફર્ઝ નમાઝ જમાઅતના વખત પર પઢવામાં આવે, જો જનાઝહ ગુસલ કફનથી ફર્ઝ ની જમાઅતના વખતે જ તૈયાર થાય તો પહેલાં ફર્ઝ નમાઝ જમાઅત સાથે પઢીને પછી જનાઝહની નમાઝ પઢવામાં આવે.                                     (શામી –૩/૪૬)

               પૂછેલી સૂરતમાં ફર્ઝની જમાઅત થઈ ગયા પછી આવનાર માણસોએ પ્રથમ જનાઝહની નમાઝ પઢી લેવી જોઈએ, અને પછી પોતાની અસરની નમાઝ પઢવી જોઈએ. આપ જે પ્રમાણે મસ્અલો સમજો છો તે બરાબર છે પરંતુ એ તે સૂરતમાં છે કે જયારે જમાઅતના વખત પર જ તૈયાર થઈને આવે, પૂછેલી સૂરતમાં જમાઅત અદા થઈ ગઈ છે એટલે જમાઅત પછી આવનાર ભાઈઓએ પ્રથમ જનાઝહની નમાઝ પઢી લેવી જોઈએ, તાકે તેઓની રાહ જોવામાં જનાઝહની નમાઝમાં મોડું ન થાય.                           (અહ. ફતાવા– ૪/રપર)

Log in or Register to save this content for later.