Chapter : તહારત
(Page : 166)
સવાલ :– ખાંડ અથવા તેલમાં અગર કીડી પડી હોય અને મરી ગઈ હોય તો શું તે ખાંડ અને તેલ નાપાક અને હરામ થઈ જશે ? અગર કોઈ ગરીબ માણસ પાસે બીજી ખાંડ અથવા તેલ ખરીદવાની સગવડ ન હોય તો તે શું કરે ? અમારા ઈમામ સાહેબ કહે છે કે મજકૂર કીડી હરામ છે.
જવાબ :– તેલ અથવા ખાંડમાં કીડીના પડવાથી અને મરવાથી તેલ અને ખાંડ નાપાક નહિ થાય અને મજકૂર તેલ–ખાંડ હરામ પણ નહિ ગણાય, પરંતુ કીડી હરામ જંતુઓમાંથી છે, જેને ખાવું હલાલ નથી, ચાહે તે જીવતી હોય કે મરી ગઈ હોય. માટે ખાંડ, તેલ અથવા બીજી કોઈ ખાવા પીવાની વસ્તુમાં પડેલી જીવતી અથવા મરેલી કીડી કાઢયા સિવાય તે વસ્તુ ખાવી–પીવી જાઈઝ નથી, માટે ખાંડ–તેલને કપડાંથી ગાળીને અથવા બીજા કોઈ ઉપાયથી તેમાંથી કીડી કાઢીને તેનો ઉપયોગ કરવો જોઈએ. જો ખાવા–પીવાની વસ્તુમાંથી કીડી કાઢયા વગર તેનો ઉપયોગ કરવામાં આવશે અને એકાદ અડધી કીડી ગળામાં જશે તો હરામ ખાવાનો ગુનોહ લાગુ પડશે. (‘શામી ૧/૧ર૪, પ/૧૯૩, ‘બિહશ્તી ઝેવર ૩/૬૦)
Log in or Register to save this content for later.