Chapter : નમાઝ
(Page : 478)
સવાલ :– એક ભાઈનો યુ. કે. લંડન ખાતે ઈન્તિકાલ થયો ત્યાં તેમની જનાઝહની નમાઝ પઢવામાં આવી અને ત્યારબાદ મરહૂમને ઈન્ડિયા લાવવામાં આવ્યા અને અહીં પણ જનાઝહની નમાઝ પઢવામાં આવી છે. તો શું આ રીતે ડબલ નમાઝે જનાઝહ પઢવી જાઈઝ છે?
જવાબ :– જો પેહલી નમાઝ એવા માણસે પઢાવી છે કે મજકૂર મય્યિતની નમાઝ પઢાવવાનો હકદાર તે ન હતો બલ્કે તેના સિવાય મય્યિતનો બીજો કોઈ રિશ્તેદાર હતો અને હકદાર રિશ્તેદારે નમાઝ પઢાવવાની રજા પણ આપી ન હતી તો આ સૂરતમાં નમાઝ પઢાવવાનો હકદાર રિશ્તેદાર બીજીવાર નમાઝ પઢી શકે છે અને તેની સાથે બીજા એવા માણસો પણ શરીક થઈ શકે છે, જે પેહલી નમાઝમાં શરીક ન હતા, અને જો પેહલી નમાઝ હકદારે પઢાવી હતી અથવા તેની રજાથી બીજાએ પઢાવી હતી તો બીજીવાર નમાઝ પઢવી જાઈઝ ન હતી. (શામી– ૧/પ૯૧)
Log in or Register to save this content for later.