[૩૭૧ ] ઝવાલ વખતે નમાઝે જનાઝહ

Chapter : નમાઝ

(Page : 476)

સવાલ :– ઝવાલના સમયે જનાઝહની નમાઝ પઢાવવી દુરૂસ્ત છે કે નહીં?

જવાબ :–  જો મય્યિતને ગુસલ અને કફન આપીને ઝવાલ વખતે જ ફારિગ થઈ ગયા હોય તો તે જ વખતે જનાઝહની નમાઝ પઢવી વિના કરાહતે જાઈઝ છે અને જો ઝવાલના સમયથી પહેલાં ગુસલ કફનથી ફારિગ થઈ ચૂકયા હતા અને બીજા કોઈ કારણથી ઝવાલ સુધી મોડું થયું તો હવે ઝવાલ વખતે જનાઝહની નમાઝ પઢવી નાજાઈઝ અને મકરૂહે તહરીમી છે.                                   (શામી – ૧/રપ૦)

Log in or Register to save this content for later.