Chapter : તહારત
(Page : 159)
સવાલ :– રેડઓકસાઈડ રંગ કે જે લોખંડ પર લગાવવામાં આવે છે, તેમજ જે રંગ ભીતો તથા લાકડા પર લગાવવામાં આવે છે, તો શું આ બધા જ કલર નાપાક હોય છે ? આ કલરના ડાઘ કપડાં પર લાગેલ હોય તો તે કપડાં પહેરીને નમાઝ પઢી શકાય કે નહિ ?
જવાબ :– રેડઓકસાઈડ અને બીજા રંગો કઈ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે અને તેમાં કોઈ નાપાક વસ્તુનું મિશ્રણ કરવામાં આવે છે કે નહિ? તેની અહકરને જાણ નથી, જો તે કોઈ નાપાક વસ્તુથી બનાવવામાં આવતા હોય અથવા તેમાં કોઈ નાપાક વસ્તુ મિલાવવામાં આવતી હોય તો કપડાં પરથી નાપાક કલર ધોયા વગર નમાઝ પઢવી દુરસ્ત નથી અને જો નાપાક કલર વધુ પ્રમાણમાં લાગેલો હશે તો નમાઝ અદા જ નહિ થાય. (‘શામી ૧)
Log in or Register to save this content for later.