Chapter : નમાઝ
(Page : 473-474)
સવાલ :– મય્યિતને દફનાવ્યા બાદ કબ્ર ઉપર સૂરએ બકરહની આયતો જે પઢાય છે તો શું બન્ને તરફ એટલે માથા અને પગ તરફ અલિફ લામ થી મુફલિહૂન અને સૂરએ બકરહની છેલ્લી આયતો બન્ને તરફ પઢવાની છે ? એક ભાઈનું કહેવું છે, બન્ને તરફ પઢવાનું છે તો આજ સુધીનો તજરુબો એ છે કે માથા તરફ અલિફ લામથી મુફલિહૂન સુધી અને પગ તરફ છેલ્લી આયતો જ પઢાય છે.
જવાબ :– સામાન્ય રીતે જે મઅલૂમ છે કે મય્યિતના માથા તરફ સૂરએ બકરહની ફકત શરૂની આયતો મુફલિહૂન સુધી અને મય્યિતના પગ તરફ સૂરએ બકરહની આમનર્રસૂલુથી છેવટ સુધીની ફકત છેલ્લી આયતો પઢવામાં આવે છે, હદીષ શરીફથી એ જ પ્રમાણે પઢવું સાબિત છે, બન્ને તરફ શરૂ અને છેવટની બન્ને આયતો પઢવી સાબિત નથી.
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે જયારે તમારામાંથી કોઈ મૃત્યુ પામે તો તેને (મોડે સુધી ઘરમાં) રોકી ન રાખો અને તેને જલ્દીથી તેની કબ્ર પાસે પહોંચાડો અને (દફન પછી) તેના માથા પાસે સૂરએ બકરહની શરૂની આયતો અને તેના પગો તરફ સૂરએ બકરહની છેલ્લી આયતો પઢવામાં આવે. (મઆ.હદીષ – ૩/૪૮પ)
Log in or Register to save this content for later.