Chapter : નમાઝ
(Page : 472-473)
સવાલ :– મય્યિતની સકરાત વખતે તેનું માથું અને પગ બન્ને કિબ્લા તરફ હોવા જોઈએ તેવું ”અહકામુલ મય્યિત” કિતાબમાં છે, તો ઘણા લોકો પગ કિબ્લા તરફ કરવાને મના ફરમાવે છે.
જવાબ :– જયારે કોઈ માણસની સકરાતની હાલત શરૂ થાય તો સુન્નત તરીકો આ છે કે તેને જમણી કરવટ ઉપર સુવડાવી મોઢું કિબ્લારુખ કરવામાં આવે અને એ પણ જાઈઝ છે કે કિબ્લારુખ પગ કરીને સુવડાવવામાં આવે અને માથા નીચે તકિયો મૂકવામાં આવે, તાકે મોઢું કંઈક અંશે કિબ્લારુખ થઈ જાય અને આ પ્રમાણે સુવડાવવાને આસાનીથી રૂહ નીકળવાનો તરીકો બતાવવામાં આવ્યો છે. (મજ.અનહુર – ૧/૧૭૯)
Log in or Register to save this content for later.