[૩૬૪] મવત વખતે ઓરતોનું બહારગામ જવું

Chapter : નમાઝ

(Page : 471-472)

સવાલ :– બહાર ગામથી આવનાર માણસોમાં સ્ત્રીઓ પણ હોય છે. અમુક વખતે સ્ત્રીઓનું પ્રમાણ વધી જાય છે. જનાઝામાં આ રીતે સ્ત્રીઓના ભેગા થવા પર સમજ આપશો.

જવાબ :– સ્ત્રીઓનું કોઈના મોત વખતે બહાર ગામ જવું એ માત્ર એક સામાજિક રિવાજ બની ગયો છે અને તેઓના જવામાં કોઈ દીની લાભ નથી, બલકે નુકસાન છે તેઓ ત્યાં જઈ નમાઝ પઢવાની નથી અને ન શરીઅતે બતાવેલ તરીકા મુજબ મરનારના નિકટના સગાઓની તઅઝિયત કરવાની છે. એેથી ઊલટું નુકસાન ઘણું છે. બેપર્દગી સાથે મુસાફરી થાય છે, જે પોતાના સ્થળ ઉપર રહી ફર્ઝ – નફલ નમાઝોની પાબંદી કરતી હોય તે ઔરતો પણ આવા પ્રસંગે સાનુકૂળ વાતાવરણ ન હોવાથી ફર્ઝ નમાઝો પણ છોડી આપે છે, ઘણી જગ્યાએ મર્દ મય્યિતનું મોઢું જોવામાં તે ઓરતો પણ શરીક થાય છે જેમણે તે પુરુષનું મોઢું ન જોવું જોઈએ. વળી. ઓરતો ભેગી થાય તો રડવાનું વાતાવરણ પણ સર્જાય છે, માટે ઓરતોએ કોઈની વફાત થાય ત્યારે બહારગામ જવું જાઈઝ નથી.

Log in or Register to save this content for later.