[૩૬ર ] મય્યિતને દફન માટે બીજા ઠેકાણે લઈ જવી

Chapter : નમાઝ

(Page : 470)

સવાલ :–  અગર કોઈ વ્યકિતએ દફનાવવા વિશે વસિય્યત ન કરી હોય તો તેને દફન કરવા માટે પોતાના બાપ – દાદાના વતનમાં લઈ જઈ શકાય કે નહિ?

જવાબ :– જો બાપદાદાનું વતન નઝદીક હોય તો ત્યાં દફન માટે લઈ જવામાં વાંધો નથી, પરંતુ મુસ્તહબ અને બેહતર એ છે કે જયાં માણસની વફાત થાય ત્યાં જ કબ્રસ્તાનમાં તેને દફન કરવામાં આવે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ઉહુદના શહીદોને શહાદતના સ્થળે જ દફન કરવાનો હુકમ આપ્યો, હાલાંકે મદીનહ મુનવ્વરહનું મુબારક કબ્રસ્તાન બકીઅ દૂર ન હતું.       (શામી–૧/૬૦ર)

               હઝરત  આઈશહ (રદિ.) જયારે પોતાના ભાઈ અબ્દુર્રહમાન (રદિ.)ની કબ્રની ઝિયારત માટે ગયા, જેઓનો ઈન્તિકાલ શામમાં થયો હતો અને ત્યાંથી લાવી દફન કરવામાં આવ્યા હતા તો ફરમાવવા લાગ્યાં કે જો તમારા દફનનો મામલો મારા હવાલે હોત તો હું ત્યાંથી તમોને નકલ ન કરત અને જયાં તમારી વફાત થઈ હતી ત્યાંજ દફન કરત.                                              (ફત્હુલ કદીર – ર/૧૧૧)

Log in or Register to save this content for later.