Chapter : નમાઝ
(Page : 464-465)
સવાલ :– અમારે ત્યાં તથા અતરાફના ગામોમાં એવો રિવાજ છે કે ગામમાં ઈદ પહેલાં જેને ત્યાં મય્યિત થયું હોય તેને ત્યાં ઈદના દિવસે લોકો જાય છે અને ત્યાં ફાતિહા – દુઆ માંગે છે તો આ રીતે જઈ ફાતિહા – દુઆ માંગવું કેવું છે? કુર્આન હદીષથી સાબિત છે?
જવાબ :– ઈદના દિવસે મય્યિતવાળા ઘરે તઅઝિયત અને ઈસાલે સવાબ (ફાતિહા ખ્વાની) માટે જવાનો રિવાજ બિદઅત અને નાજાઈઝ છે, એકવાર તઅઝિયત થઈ ગયા પછી અને ત્રણ દિવસ વીતી ગયા પછી તઅઝિયત કરવાને ફુકહાએ કિરામ મકરૂહ લખે છે અને ઈસાલે સવાબ એક ઈબાદત છે તેના માટે પોતાના તરફથી મય્યિતના ઘરે જવાનો રિવાજ બનાવવો અને ઈદના દિવસને જ નકકી કરવો એ બિદઅત અને નાજાઈઝ છે અને મજકૂર તરીકાથી ઈસાલે સવાબમાં રિયાકારી અને મય્યિતના રિશ્તેદારોને રાજી કરવાની નિય્યત થઈ જવાનો પણ ભય છે. હાલાંકે તિલાવત વગેરે ઈબાદતથી માત્ર અલ્લાહ તઆલાની ખુશ્નૂદી પ્રાપ્ત કરવાની નિય્યત હોવી જરૂરી છે. (શામી – ૧/૬૦૪)
Log in or Register to save this content for later.