Chapter : નમાઝ
(Page : 461-462)
સવાલ :– પોતાની ઔરત ગુજરી જાય તો કબરમાં તેને ઉતારતી વખતે પોતાનો ધણી (મર્હૂમ ઓરતના) કબરમાં ઉતારી શકે કે કેમ અને ધણી પોતે નજીકના રિશ્તેદારોની મદદથી મય્યિતને કબરમાં મૂકી શકે કે કેમ?
જવાબ :– ધણી માટે પોતાની મરનાર પત્નીના શરીરને હાથ લગાડવો મના છે, માટે જો ઔરતના બાપ, ભાઈ, છોકરાઓ, ભત્રીજાઓ જેવા મર્હૂમના રિશ્તેદારો ઔરતની મય્યિતને કબરમાં ઉતારવામાં પૂરતા પ્રમાણમાં હાજર હોય તો ધણી પોતાની ઔરતને કબરમાં ઉતારવામાં શરીક ન થાય અને જો કબરમાં ઉતારનાર ઔરતના ગેર મહરમ રિશ્તેદાર હોય તો ઔરતના શરીરને સીધો હાથ ન લાગે, બલકે કપડાંની આડ સાથે લાગે, એવી રીતે પકડી કબરમાં ઉતારવાની શોહરને પણ ઈજાઝત છે. (શામી–પ૦પ, ઈ.અહકામ–૭૩૧, અ.ફતાવા–૪/ર૧પ)
Log in or Register to save this content for later.