[૩૪૯] ગેર મુસ્લિમની તઅઝિયત

Chapter : નમાઝ

(Page : 457-458)

સવાલ :– અમારે ત્યાં જયારે કોઈ મુસલમાન ગુઝરી જાય છે ત્યારે મય્યિતવાળા ઘરે ગેર  કોમના લોકો બેસવા આવે છે અને જયારે જનાઝો લેવાનો ટાઈમ આવે છે ત્યારે ગેર કોમના લોકો પણ મોઢું જુએ છે તો તેમને મય્યિતનું મોં દેખાડવું જોઈએ કે નહિં ? અમુક ગૈર કોમના લોકો ફૂલહાર પણ મય્યિતને ઓઢાડે છે તો તે કરવા દેવું જોઈએ કે નહિં ?

               અને જયારે ગૈર કોમમાંથી કોઈ મરણ પામે છે ત્યારે આપણા મુસલમાન ભાઈઓ ગૈર કોમના મય્યિતના ઘરે બેસવા જાય છે અને જયારે ગૈર કોમના મય્યિતને બાળવા માટેનો ટાઈમ હોય ત્યારે ઉઠાવતી વખતે પણ મય્યિતના ઘરે તે ટાઈમે જાય છે અને જયાં એમનું સ્મશાન ગૃહ છે ત્યાં સુધી સાથે જાય છેે, તો ગૈર કોમના મય્યિતને લેતી વખતે હાજર રહેવું અને તેના સ્મશાન ગૃહ સાથે જનારને રોકવા કે નહિં ?

જવાબ :– ગૈર કોમના લોકો આપણે ઘેર મૌત થાય ત્યારે બેસવા આવે તેમાં વાંધો નથી, પરંતુ તેઓને મય્યિતનું મોઢું દેખાડવું બેહતર નથી અને ફૂલહાર ચઢાવવાથી તેમને રોકવા જોઈએ, કારણ કે ફૂલહાર મુસલમાન માટે પણ બિદઅત છે, માટે ગેર કોમને પણ ન કરવા દેવું જોઈએ.

               ગેર કોમના પડોશીને ત્યાં મય્યિત થાય તો તઅઝિયતના (દિલાસો આપવાના) હેતુથી તેના ઘરે બેસવા જઈ શકાય છે, પરંતુ તેની કફન અને અન્ય અંતિમ વિધિમાં મુસલમાને ભાગ ન લેવો જોઈએ અને ભાગ લેનાર મુસલમાનને રોકી પણ શકાય છે.      (શામી ભાગ–૧/ર૪૮, ભાગ–પ)

Log in or Register to save this content for later.