[૩૪૮] નાપાક જોડા ઉપર ઊભા રહી નમાઝ

Chapter : નમાઝ

(Page : 456-457)

સવાલ :– ”સકરાત થી કબર સુધી” સફા નં – રપ ઉપર લખેલ છે કે જોડાને પગથી કાઢી નાખી તેના ઉપર ઊભા રહી નમાઝ પઢવામાં આવે, માત્ર જોડાનો ઉપરનો ભાગ જે પગથી લાગેલો હોય છે તેનું પાક હોવું જરૂરી છે. આ સ્થિતિમાં જોડાનું તળિયું અથવા જમીન નાપાક હોય તો પણ વાંધો નથી. વળી, ” ઈસ્લામી તા’લીમ” સફા નંબર – ૧રપ ઉપર જોડાનું પાક હોવું જણાવેલ છે તો શું જોડાનું તળિયું નાપાક હોય તો ચાલશે ?

જવાબ :– ”સકરાત થી કબર સુધી” કિતાબમાં બેહશ્તી ઝેવરના હવાલાથી લખેલો મસ્અલો દુરૂસ્ત છે. જો કે બેહશ્તી ઝેવરના હાશિયામાં ‘બહર’ ના હવાલાથી આપેલી ઈબારતમાં જોડાનું પાક હોવું જ લખ્યું છે, પરંતુ ”શામી–૧/૪ર૧” ઉપર આ મસ્અલો મવજૂદ છે કે એવા જોડા ઉપર ઊભા રહીને નમાઝ પઢવી જેના ઉપરનો ભાગ પાક અને નીચેનો ભાગ નાપાક છે, તો ઈમામ મુહંમદ (રહ.)ના મસલક મુજબ નમાઝ દુરૂસ્ત છે અને એજ રાજિહ છે.

Log in or Register to save this content for later.