[૩૪૭] કફનની ઓઢણીની લંબાઈ–પહોળાઈ

Chapter : નમાઝ

(Page : 455-456)

સવાલ :– ઈસ્લામી તાલીમ ઉર્દૂ સફા ૧૧૮ પર ઓરતના કફન વિષે નકશામાં ઓઢણી માથાથી લઈ પગ સુધી હોવી જોઈએ એમ જણાવેલ છે. જયારે કે ”સકરાતથી કબર સુધી” નામની ગુજરાતી કિતાબમાં સફા નં ૧૬ ઉપર ઓઢણી આશરે બે હાથ લાંબી અને દોઢથી બે ફૂટ પહોળી હોવી જોઈએ એમ જણાવેલ છે, તો આ બેમાં કઈ વાત ઉપર અમલ કરવો ? જયારે કે બન્ને કિતાબો દારુલ ઉલૂમ ભરૂચથી જ પ્રગટ થઈ છે.

જવાબ :– ઓરતના કફનમાં ઓઢણીની લંબાઈ શામીમાં ત્રણ ઝિરાઅ બતાવવામાં આવી છે અને ઝિરાએ શરઈ એટલે શરઈ ગજ મુરાદ છે જે દોઢ ફૂટ એટલે અઢાર ઈંચનો હોય છે. એ હિસાબે ઓઢણીની લંબાઈ ચોપ્પન ઈંચ એટલે સાડા ચાર ફૂટની હોવી જોઈએ. બેહિશ્તી ઝેવરમાં ભા–ર પેજ નં–પ૪ માં મજકૂર હવાલાથી ઓઢણીની લંબાઈ ત્રણ હાથ લખવામાં આવી છે, અને બેહશ્તી ઝેવર બીજા ભાગના ઈઝાફએ જદીદહ (નવી પુર્તિ) માં પેજ ૭૮ ઉપર કફનના કપડાંઓના માપનો એક નકશો આપ્યો છે, જેમાં ઓઢણીની લંબાઈ દોઢ ગજ લખેલ છે, જે પ૪ ઈંચ અને સાડા ચાર ફૂટના બરાબર અને જૂની ઈસ્તિલાહ મુજબ ત્રણ હાથ જ થાય છે, કારણ કે નકશામાં લખેલ ગઝ થી અંગ્રેજી ગઝ એટલે કે ૩૬ ઈંચનો ગઝ મુરાદ છે, શરઈ ગઝ મુરાદ નથી.

               ઓઢણીની પહોળાઈ બેહશ્તી ઝેવર ભાગ– ર ના નકશામાં ૧ર ગિરહ બતાવે છે અને એક ગિરહ એ અંગ્રેજી ગઝ (૩૬ ઈંચ)નો સોળમો ભાગ એટલે સવા બે ઈંચ બરાબર થાય છે અને આ હિસાબ મુજબ ઓઢણીની પહોળાઈ ર૭ ઈંચ (સવા બે ફૂટ) એટલે કે લંબાઈથી અડધી પ્રમાણમાં હોવી જોઈએ.

               ”ઈસ્લામી તા’લીમ” અને ”સકરાત થી કબર” કિતાબોમાં ઓઢણીના લખેલા માપનું માપ મારી જાણમાં નથી.

Log in or Register to save this content for later.