[૩૪૬] મસ્જિદે નબવી અને હરામમાં નમાઝે જનાઝહ

Chapter : નમાઝ

(Page : 454-455)

સવાલ :– આપના ફેબુ્રઆરી માસના દારુલ ઉલૂમ માસિકમાં સકરાતથી કબ્ર સુધીના વિભાગમાં પેજ નંબર : ૪પ ઉપર જનાઝહની નમાઝ મસ્જિદના બયાનમાં લખ્યું છે કે જે મસ્જિદમાં પાંચ વખતની નમાઝ થતી હોય તે મસ્જિદમાં જનાઝહની નમાઝ (પઢવી) મકરૂહે તહરીમી છે તો હરમૈન શરીફૈનમાં બન્ને જગ્યાએ (મકકા અને મદીના શરીફમાં) જનાઝહની નમાઝ થાય છે તે શું કોઈ મસલકમાં જાઈઝ છે?

જવાબ :– હનફી ફિકહ અને માલિકી ફિકહ મુજબ મસ્જિદે નબવીમાં વિના કારણે નમાઝે જનાઝહ મકરૂહ છે અને શાફઈ તથા હમ્બલી ફિકહ મુજબ મકરૂહ નથી અને મુલ્લા અલી કારી (રહ.)એ શર્હે મુવત્તા મુહમ્મદથી શૈખ સય્યિદ તહતાવી(રહ.)એ નકલ કર્યું છે કે મસ્જિદે હરામમાં નમાઝે જનાઝહ વિના કરાહતે જાઈઝ હોવી જોઈએ, કારણ કે મસ્જિદે હરામ દરેક પ્રકારની જમાઅતની નમાઝ પંજગાના ફર્ઝ નમાઝ – જુમ્અહ – ઈદૈન – કુસૂફૈન – ઈસ્તિસ્કા – જનાઝહ પઢવાની જગ્યા છે.   (કબીરી પ૮૮, તહતાવી અલલ મરાકીઃ ૩ર૬)

Log in or Register to save this content for later.