Chapter : નમાઝ
(Page : 453-454)
સવાલ :– અમારા ત્યાં મય્યિતની દફન વિધિ પછી લોકોએ ઝમાનએ જહાલતની રીત પ્રમાણે દર ૪૦ કદમ પર ફાતિહા પઢવાનો તરીકો પકડી રાખ્યો છે. બીજું ગામના પાદરે હાથ ઉઠાવી ફાતિહા પઢવાનો તરીકો તથા મય્યિતના મકાન પાસે એ જ પ્રમાણે ફાતિહા પઢવાનો વિગેરે રિવાજો પકડયા છે. તે વિષે પુરતી ચોખવટ લખશો.
જવાબ :– જનાઝો લઈને કબ્રસ્તાન જતાં સુધી અવાજથી ફાતિહા પઢવા અને બીજાઓને પઢવાની તલકીન કરવી બિદઅત અને મકરૂહ છે. કોઈ હદીષથી એ પ્રમાણે ફાતિહા પઢવા સાબિત નથી અને મય્યિત સાથે જતાં જોરથી ઝિક્ન કરવાને અને કુરઆન પઢવાને અને મય્યિત માટે ઈસાલે સવાબ કરવા કહેવાને ફુકહાએ કિરામ મકરૂહ લખે છે.
જનાઝો લઈને જતાં રસ્તામાં થોભવું અને મય્યિતને કબ્રસ્તાન પહોંચાડવામાં થોડું મોડું કરવું સુન્નત વિરૂધ્ધ છે. ફુકહાએ કિરામ તો લખે છે કે જનાઝો લઈને ખામોશીથી ચાલવું જોઈએ અને ઝિક્ન કરે તો બિલકુલ આહિસ્તા કરવું જોઈએ અને એ પ્રમાણે જલ્દી જલ્દી ચાલવું જોઈએ કે જનાઝો બહુ હલવા ન પામે, કારણ કે હઝરત રસુલૂલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે જનાઝો લઈને જલ્દી ચાલો, કારણ કે તે અગર નેક છે તો તમો એને સારી જગ્યાએ જલ્દીથી પહોંચાડી રહયા છો અને જો નેક નથી તો તે એક બુરાઈ છે જેને તમો તમારા ખભાઓથી ઉતારી રહયા છો.
Log in or Register to save this content for later.