[૩૪૩] મય્યિત પાસે કુર્આનખ્વાની

Chapter : નમાઝ

(Page : 452)

સવાલ :– મય્યિત થાય કે તરત જ લોકો ગુસલ કફન વિના તેની સામે કુર્આન ખ્વાની શરૂ કરી આપે છે તે જાઈઝ છે કે ગુસલ કફન પછી શરૂ કરવું જોઈએ?

જવાબ :– જો મય્યિતને ચાદર ઓઢાડેલી હોય તો ગુસલ આપતાં પહેલાં પણ તેની પાસે કુર્આનખ્વાની કરવી જાઈઝ છે. જો ચાદર ઓઢાડેલી ન હોય અથવા કોઈ પ્રકારની નાપાકી ધોવાની હોય તો ગુસલ આપતાં પહેલાં તેની પાસે કુર્આન ખ્વાની કરવી મકરૂહ છે.      (શામી–૧/પ૭૩)

Log in or Register to save this content for later.