[૩૪૧] કબ્ર ઉપર તખ્તી લગાવવી

Chapter : નમાઝ

(Page : 450-451)

સવાલ :– અમારા ગામમાં એક મવલાનાનો ઈન્તિકાલ થઈ ગયો. તેઓના ઘરવાળાઓએ તેમની કબ્ર ઉપર તખ્તી બનાવીને તેમનું નામ અને સને વફાત લખી છે. તો ગામમાં એક જમાઅતે કહયું કે આ જાઈઝ નથી. તો શું શરઈ રૂએ આ પ્રમાણે તખ્તી લગાડવી જાઈઝ છે કે નહીં.

જવાબ :– કબ્રના સરાણે (માથા તરફ) કબ્રની ઓળખ માટે પત્થર મુકવો જાઈઝ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ એક સહાબી હઝરત ઉષ્માન બિન મઝઊન (રદિ.)ની કબ્રના મથાળે એક પથ્થર મૂકયો હતો અને ફરમાવ્યું હતું કે આ પથ્થર વડે હું મારા ભાઈની કબ્રને ઓળખી શકીશ અને મારા ઘરવાળાઓમાંથી વફાત પામનારને તેઓની કબ્રની નઝદીક દફન કરીશ.

               જો નામ અને તારીખ લખ્યા વગર ફકત પથ્થરથી કબરની ઓળખનો હેતુ પૂરો થઈ જતો હોય તો પત્થર ઉપર કંઈ લખવાથી બચવું જોઈએ અને ઓળખ માટે લખાણ જરૂરી હોય તો લખવાની પણ ગુંજાઈશ છે પરંતુ કુરઆની આયત કે હદથી વધુ વખાણ પાત્ર વાકય લખવું મકરૂહ છે.     (શામી :૧/૬૦૧, કિ. મુફતી : ૪/૩પ,૩૯,૪૬)

Log in or Register to save this content for later.