Chapter : નમાઝ
(Page : 446-447)
સવાલ :– મય્યિતનું મોઢું ખુલ્લુ રાખવાનો જે રિવાજ (કફનાવ્યા પહેલાં અને કફનાવ્યા બાદ) છે, તે ખરેખર સહીહ છે કે નહિ? અને ખુલ્લુ રાખી શકાય તો કયાં સુધી રાખી શકાય. ખુલ્લુ રાખી શકાય તો ઓરતો માટે શું હુકમ છે ? ઓરત મર્દ મય્યિતનું મોઢું જોઈ શકે કે નહિં ? મય્યિત ઓરત હોય તો તેનું મોઢું કોણ જોઈ શકે છે ?
જવાબ :– કફન અને ગુસલ પહેલાં તો એક ચાદરથી ચહેરા સહિત મય્યિતનું પુરૂં બદન ઢાંકી દેવું જોઈએ (આલમગીરી– ૧પ૭/૧) ગુસલ અને કફનાવ્યા બાદ જો મય્યિતના મોઢા ઉપર કોઈ ખરાબ અલામત અને નિશાની ન હોય તો જોનારાઓ માટે મય્યિત ઉઠાવતાં સુધી ખુલ્લુ રાખી શકાય છે. પરંતુ જો ગેર મહરમની નજર પડવાનો ભય હોય તો છુપાવી દેવું જોઈએ, જેમકે મય્યિતવાળા રૂમમાં મર્દો બેઠા હોય અને મય્યિત ઓરત હોય અથવા ઓરતો બેઠી હોય અને મય્યિત મર્દ હોય. (ફતાવા રશીદિય્યહ–રર૭)
જો મય્યિત ઓરત હોય તો ફકત તેના મહરમ મર્દો માટે તેનું મોઢું જોવું જાઈઝ છે ગેર મહરમ માટે તેનું મોઢું જોવું જાઈઝ નથી. એવી જ રીતે જો મય્યિત મર્દ હોય તો તે જે ઓરતો માટે મહરમ છે તે જ ઓરતોએ તેનું મોઢું જોવું જાઈઝ છે ગેર મહરમ ઓરતો માટે પરાયા મર્દ મય્યિતનું મોઢું જોવું જાઈઝ નથી.
(કિફાયતુલ મુફતી પ૦/૪, ફ.દારૂલ ઉલૂમ–ર૬૭/પ)
અને કબ્ર ઉપર મય્યિતના પહોંચી ગયા પછી કોઈને પણ તેનું મોઢું ખોલી ન જોવું જોઈએ. (ફ. દારૂલ ઉલૂમ–૩૭૮,૪૦૬/પ)
Log in or Register to save this content for later.