Chapter : નમાઝ
(Page : 445-446)
સવાલ :– ચોમાસાના લઈ સૂરજ દેખાય નહિં એટલે ભૂલમાં જનાઝહની નમાઝ પઢતા સૂરજ નીકળી જાય તો નમાઝ થશે કે નહિં? નમાઝનો કોલ બાંધતા પહેલાં અથવા પછી સૂરજ નીકળી જાય તો નમાઝ સહીહ થશે કે નહિં?
જવાબ :– અગર ગુસલ કફનથી ફારિગ થઈ જનાઝો સૂરજ નીકળતાં પહેલાં તૈયાર થઈ જાય અને હવે સૂરજ નીકળવાની શરૂઆતથી લઈ પુરો નીકળી ગયા પછી ૧પ–ર૦ મિનિટ સુધી જનાઝાની નમાઝ પઢવી જાઈઝ નથી, જો પઢવામાં આવશે તો નમાઝ દુરૂસ્ત થશે નહિ અને જો ગુસલ કફન આપીને ફારિગ થઈ સુરજ નીકળતી વખતે જનાઝો તૈયાર થયો અને તુરત આવ્યો તો આવી સૂરતમાં સૂરજ નીકળતી વખતે પણ જનાઝાની નમાઝ દુરૂસ્ત છેે. પરંતુ પહેલેથી જનાઝો તૈયાર હોય અને મોડું કરવાથી નમાઝ પઢતાં પઢતાં સૂરજ નીકળે તો નમાઝ ફાસિદ થઈ જશે, સૂરજ ઉગીને ઊંચો થયા પછી ફરીથી પઢવી પડશે. (શામી–ર૪૮/૧)
Log in or Register to save this content for later.