Chapter : નમાઝ
(Page : 443-444-445)
સવાલ :– ઈસ્લામિક જિહાદમાં ભાગ લઈને શહીદ થવાથી શહાદતનો દરજો મળે છે, એ ઉપરાંત બીજા અન્ય એવા કયા દીની કામો છે કે જે કરવાથી શહાદતનો દરજો મળે છે?
જવાબ :– અલ્લામા શામી (રહ.) એ નીચેના કામો કરનાર માટે શહાદતનો સવાબ અને દરજો નકલ કર્યો છે.
(૧) જે માણસે ફકત આખિરતના સવાબની નિય્યતથી હંમેશા અઝાન આપી.
(ર) એવો વેપારી જે વેપારમાં હંમેશા સાચુ બોલતો હોય.
(૩) જે માણસ પોતાની ઓરત અને અવલાદ માટે મહેનત કરે છે અને હલાલ કમાઈથી તેઓની જરૂરતો પુરી કરે છે.
(૪) જે માણસ દરરોજ રપ વાર આ દુઆ પઢતો હોય ”અલ્લાહુમ્મ બારિક્ લી ફિલ્ મવ્તિ વ ફીમા બઅ્દલ્ મવ્તિ” પછી તે પોતાના બિસ્તર પર વફાત પામ્યો.
(પ) જે માણસ ચાશ્તની નમાઝ પઢે અને દર મહિનામાં ત્રણ રોઝહ રાખે અને સફર તથા હઝરમાં વિત્રની નમાઝ ન છોડે.
(૬) જે માણસ એવા સમયમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નત પર મકકમતા અને અડગતાથી ચાલતો રહે જયારે ઉમ્મતમાં બિદઅત અને જહાલત વ્યાપક થઈ જાય.
(૭) જે માણસ પોતાની બીમારીમાં ચાલીસ વાર આ તસ્બીહ પઢે ”લાઈલાહ ઈલ્લા અન્ત સુબ્હાનક ઈન્ની કુન્તુ મિનઝ્ ઝાલિમીન” પછી તે વફાત પામે.
(૮) જે માણસ દર રાત્રે સૂરએ યાસીન પઢે.
(૯) જે માણસ પાકી હાસિલ કરીને સૂઈ જાય અને વફાત પામે.
(૧૦) જે માણસ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઉપર સો વાર દૂરૂદ શરીફ પઢેે.
(૧૧) જે માણસ અલ્લાહની રાહમાં શહીદ થવાની ઈખ્લાસ અને સાચા દિલથી દુઆ કરે પછી વફાત પામે.
(૧ર) જે માણસ લોકોની રાહત માટે કોઈ આબાદીમાં અનાજના જથ્થાની આયાત કરે
(૧૩) જે માણસ સવારમાં ”અઉઝુ બિલ્લાહિસ્સમીઈલ્ અલીમ મિન શ્શય્તાનિર્રજીમ” પઢે અને સૂરએ હશ્રની છેલ્લી ત્રણ આયતો પઢે તો અલ્લાહ તઆલા તેના માટે સિત્તેર ફરિશ્તાઓ નકકી કરશે જે સાંજ સુધી તેના માટે દુઆ કરતા રહેશે અને જો દિવસ ભરમાં વફાત પામશે તો શહીદનો દરજો પામશે અને જે માણસ સાંજે મજકૂર વિર્દ પઢે તો સવાર સુધી ઉપર મુજબની ફઝીલત પામશે. (શામી : ૬૧૧/૧)
Log in or Register to save this content for later.