Chapter : નમાઝ
(Page : 442-443)
સવાલ :– કોઈ માણસના ઈન્તેકાલ પછી અમુક દિવસો સુધી બાળકોને ટીકડીઓ અથવા કોઈ મીઠી વસ્તુ વહેંચવામાં આવે છે, તો એનાથી મુરદાને સવાબ પહોંચે કે નહિ ? અને ટીકડી વિગેરે ખાવું સાબિત છે કે નહિ?
જવાબ :– જે ટીકડીઓ ગરીબોના નાબાલિગ છોકરાઓને મરનારના ઈસાલે સવાબની નિય્યતથી વહેંચવામાં આવે તે સદકો છે, તેનો સવાબ મળશે અને મજકૂર નફલી સદકો માલદારોની નાબાલિગ અવલાદને પણ આપી શકાય છે અને તેમાં પણ સવાબ મળવાની આશા રાખી શકાય છે પરંતુ બેહતર એ છે કે ઈસાલે સવાબ માટેની ટીકડીઓ ચાહે તે નફલી સદકહ રૂપે હોય ગરીબોની અવલાદને આપવામાં આવે. (શામી – પ૧૪, પરર/૪)
Log in or Register to save this content for later.