Chapter : તહારત
(Page : 151)
સવાલ :– બિહિશ્તી ઝેવરના નવમા ભાગમાં છે કે હરામ પરિન્દાની હગાર ઉમૂમે બલવાના લઈ કૂવાના હકમાં માફ છે, તો ટાંકીઓ જે જાજરૂ અથવા ઘરકામમાં લેવા માટે બનાવવામાં આવે છે, તેના ઉપર પણ કાગડા બેસી રહે છે અને ત્યાં બેસીને હગાર પણ કરે છે, ટાંકી ઢાંકેલી હોય છતાં પાણી મારફતે અથવા હગાર પાતળી હોવાના કારણે ટાંકીમાં જાય છે, તો એ ટાંકીના પાણીનો શું હુકમ છે ?
જવાબ :– હરામ પક્ષીઓની હગાર નજાસતે ખફીફહ છે, માટે ઘરેલુ ટાંકીઓના પાણીમાં પડતી હરામ પક્ષીઓની હગાર માફ નહિ ગણાય અને તેના થોડા પ્રમાણમાં પણ ટાંકીના પાણીમાં પડવાથી પાણી નાપાક થઈ જશે અને આકાશમાં ઉડતા અને આકાશમાંથી હગાર ફેંકતા હલાલ પક્ષીઓની હગાર પાક છે, તેના પાણીમાં પડવાથી કે કપડાં ઉપર લાગવાથી પાણી–કપડું નાપાક નહીં થાય. (‘શામી ૧/ર૧૩)
કાગડાના હરામ–હલાલ હોવામાં ઉલમાએ કિરામનો મતભેદ છે, ઘણા આલિમો કાગડાને હલાલ પક્ષીઓમાંથી કહે છે અને ઉલમાએ મકકહ મુકર્રમહ અને મદીનહ મુનવ્વરહનો પણ એ જ ફતવો છે, માટે કાગડાની હગાર ટાંકીના પાણીમાં પડવાના કારણે તે નાપાક નહિં થાય, અલબત્ત તે પાણીનો ખાવા–પીવામાં ઉપયોગ કરવામાં હગારના કણોથી બચવું જરૂરી છે. (‘ઈમ્દાદુલ મુફતીન, ‘શામી ૧)
Log in or Register to save this content for later.