Chapter : નમાઝ
(Page : 431)
સવાલ :– કબ્રમાં આખી પેટી ઉતારી દીધા બાદ પેટીનું પેક કરેલું ઢાંકણું ઉઘાડી કાઢવું જરૂરી છે કે પેક હાલતમાં જ પેટી મૂકી આપવી ? ઢાંકણું ઉઘાડી લઈ પેટી ખુલ્લી કરીને ઢાંકણું કાઢી લઈ પાટિયાં ગોઠવી કબ્ર બંધ કરવું કેવું છે?
જવાબ :– જો પેટીમાં મય્યિત એવી સ્થિતિમાં હોય કે તેમાંથી કાઢીને કબ્રમાં મૂકી શકાય તો પેટીમાંથી કાઢીને કબ્રમાં વગર પેટીએ જ દફન કરવી જોઈએ. વગર જરૂરતે પેટીમાં મુકી દફન કરવી મકરૂહ છે. બાકી મજબૂરી હોય તો પેટી મુકવામાં કરાહત નથી, અને ઢાંકણું ખોલી નાખી બીજી મય્યિતોના જેમ લાકડાના પાટીયા મૂકી કબ્ર બંધ કરવી બેહતર છે અને પેટીની બહાર આજુબાજુ માટી ભરી દેવી જોઈએ, જેથી માટીમાં દફન કરવા જેમ બની જાય. (શામી પ૬૭ ભાગ–૧)
Log in or Register to save this content for later.