Chapter : તહારત
(Page : 150)
સવાલ :– એક મુસ્લિમ દુકાનદારના કહેવા પ્રમાણે આજકાલ દીવાલો અને લાકડા ઉપર જે બ્રશથી પાકો કલર કરવામાં આવે છે તે બ્રશ સો ટકા સુવ્વરના બાલથી બનાવવામાં આવે છે, હવે કલર કરતી વખતે તે બ્રશ કલરમાં નાખવામાં આવે છે, તો સુવ્વરના બાલવાળુ બ્રશ તેમાં નાંખવાથી કલર નાપાક થશે કે નહિ ? અને મસ્જિદ–મદ્રસાની દીવાલો અને બારીબારણાઓ ઉપર તે બ્રશથી કલર કરી શકાય કે નહિ ?
જવાબ :– સુવ્વરના બાલ નાપાક છે અને સુવ્વરના બાલનું બનેલું બ્રશ પણ નાપાક છે, જો મજકૂર બ્રશ સુવ્વરના બાલથી જ બનાવવામાં આવ્યું હોય તો એવા બ્રશનો ઉપયોગ કરવો જાઈઝ નથી અને સુવ્વરના બાલથી બનેલું બ્રશ જો કલરમાં નાખવામાં આવશે તો (ઈમામ અબૂ યૂસુફ રહ.ની ઝાહિરુર્ રિવાયતના) મસ્અલા મુજબ તે રંગ નાપાક થઈ જશે, માટે જો વિશ્વાસપાત્ર ખબરથી એ વાતની તહકીક થઈ જાય કે મજકૂર બ્રશ સુવ્વરના બાલથી જ બનાવવામાં આવે છે તો મસ્જિદ–મદ્રસા તથા ઘરની દીવાલો વગેરેને તે નાપાક બ્રશથી રંગ કરવો અને નાપાક રંગથી રંગી દીવાલો વગેરેને નાપાક કરવી દુરુસ્ત નથી. (‘શામી ૧/૧૩૭, ‘બહર ૧/૧૦૭)
Log in or Register to save this content for later.