[૩૧૮] કબ્રો પરનું લીલુ ઘાસ કાપવું અને ઉભું ઘાસ વેચવું

Chapter : નમાઝ

(Page : 429-430)

સવાલ :– કબ્રસ્તાનમાં કબ્રો પર જે ઘાસ છે અગર તેને કાપી લેવામાં આવે તો તેના મૂળ લીલા રહે છે અને ફરી તે ઘાસ ફૂટે છે, અગર તે ઘાસને કાપી લેવામાં નથી આવતું તો સૂકાયા પછી બેકાર થઈ જાય છે, કામમાં નથી આવતું, તો લીલા ઘાસને કાપી શકાય કે નહિં? અને  કાપવામાં શું વાંધો છે ? ઉભુ ઘાસ વેચી શકાય કે નહિં? વિગતથી જવાબ આપશો.

જવાબ :– કબ્રસ્તાનનું લીલુ ઘાસ કાપવું મકરૂહ છે, ચાહે તેના મૂળ લીલા રહેતાં હોય કે ન રહેતાં હોય, કારણ કે જયાં સુધી ઘાસ લીલુ રહે છે તે અલ્લાહની તસ્બીહ પઢે છે, અને તેની તસ્બીહના લઈ મુર્દાઓ પર અલ્લાહ તઆલાની રહમત ઉતરે છે અને મુર્દાઓની વહશત દૂર થાય છે. સુકાય ગયા પછી કાપી શકાય છે અને સુકાય ગયા પછી પણ ઘાસને કામમાં તો લાવી શકાય છે. સરકાર જે સુકા ઘાસની ગાંસડીઓ આપે છે તે કયા કામમાં હોવા માટે લોકો ખરીદે છે, તે કામમાં આ ઘાસનો પણ ઉપયોગ કરે. લીલું ઘાસ ન કાપવાના લઈ પોતાનો ધારેલો હેતુ પાર પડતો હોય પણ બીજો એનાથી વધારે મહત્વપૂર્ણ હેતુ હાસિલ થાય તો તેને નજર સમક્ષ રાખવો જોઈએ.

یکرہ ایضا قطع النبات والرطب والحشیش من المقبرۃ دون الیابس کما فی البحر والدرر وشرح المنیۃ وعللہ فی الامداد بانہ مادام رطبا یسبح اللہ تعالیٰ فیؤنس المیت وتنزل بذکرہ الرحمۃ الخ          (شامی ۶۰۶؍۱(

લીલુ કે સુકું ઘાસ જે વરસાદથી પોતે ઉગે છે, વાવવામાં આવતું નથી કબ્રસ્તાનનું હોય કે બીજી કોઈ જમીનનું, જયાં સુધી તે જમીન પરથી કાપી લેવામાં ન આવે તેને ઉભુ વેચવું હરામ છે. હદીસ શરીફમાં એવા વેચેલા ઘાસની કિંમતને હરામ માલ બતાવવામાં આવ્યો છે.

وصرّح فی شرح الوقایۃ ببطلانہ وعللہ بعدم الاحراز (قولہ الحدیث) الناس شرکاء فی ثلاث اخرجہ الطبرانی بلفظ المسلمون شرکاء فی ثلاث الخ وکذا اخرجہ ابن ماجہ وفی آخرہ ثمنہ حرام ای ثمن کل واحد منھا۔ ( شامی ۱۱۰؍۴(

Log in or Register to save this content for later.