Chapter : નમાઝ
(Page : 423)
સવાલ :– મકકહ મુકર્રમહમાં મસ્જિદે હરામમાં ઘણીવાર ફર્ઝ નમાઝો પછી જમાઅત સાથે જનાઝહની નમાઝ પઢવામાં આવે છે, જયારે ઈમામ સાહેબ પાંચ વખતની ફર્ઝ નમાઝ પઢાવે છે તો ઓરતો પણ ફર્ઝ નમાઝની જમાઅતમાં શરીક હોય છે. હવે જયારે ફર્ઝ નમાઝ પછી જનાઝહની નમાઝ શરૂ થાય તો ઓરતોએ શું કરવું જોઈએ ? તેમણે ઈમામ સાહેબ સાથે જનાઝહની નમાઝમાં શરીક થવું જોઈએ અથવા બેસી રહેવું જોઈએ, ઓરતો માટે જનાઝહની નમાઝનો શું હુકમ છે?
જવાબ :– ઓરતોએ મકકહ મુકર્રમહમાં પણ પાંચ ફર્ઝ નમાઝો પોતાની રહેવાની જગ્યાએ ઘર ઉપર જ પઢવી જોઈએ. તેઓના માટે ઘર ઉપર નમાઝ પઢવામાં જ વધુ સવાબ છે. અને મસ્જિદમાં નમાઝ પઢવા જવું મકરૂહ છે. અલબત્ત તેમ છતાં જો તે મસ્જિદે હરામમાં પહોંચી ગઈ અને પોતાની જગ્યાએ મર્દોથી પાછળ ઉભા રહી જનાઝહની નમાઝ પઢી લીધી તો કરાહત સાથે જાઈઝ ગણાશે.
(શામી ભાઃ૧ આપકે મસાઈલ : ૧૬૮ ભાગઃ૩)
Log in or Register to save this content for later.