Chapter : તહારત
(Page : 143)
સવાલ :– એક ઓરતને દર મહિને સાત દિવસ હૈઝ આવે છે, સાતમા દિવસે હૈઝ બંધ થયા પછી હૈઝથી પાક થવાનું ગુસલ કર્યા વગર પોતાના શોહર સાથે હમબિસ્તરી કરે તો આ સૂરતમાં હમબિસ્તરી કરી શકાય કે નહિં ? હૈઝ અને જનાબતનું ગુસલ સાથે કરી શકાય કે નહિં ?
જવાબ :– જે નમાઝના વખતમાં હૈઝ બંધ થયું અને ગુસલ કરીને નમાઝ પઢી શકતી હતી, પરંતુ ગુસલ ન કર્યું અને તે નમાઝનો વખત પૂરો થઈ ગયો તો હવે ગુસલ વગર પણ તેનાથી હમબિસ્તરી થઈ શકે છે, નમાઝનો વખત પૂરો થતાં પહેલાં ગુસલ કર્યા વગર હમબિસ્તરી ન કરી અને વખત પછી હમબિસ્તરી કરી તો હૈઝ અને જનાબતનું ગુસલ સાથે કરી શકાય છે. (શામી, ભા. ૧/૧૯૬)
Log in or Register to save this content for later.