Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 125 - 126)
- અલ્લાહ તઆલાએ એક મખ્લૂક આગથી પેદા કરી છે, એને જિન્ન કહે છે.
અલ્લાહ તઆલા ફરમાવે છે : તેણે જ ઇન્સાન (આદમ અલૈ.)ને ઠીકરા માફક ખણખણતી સૂકી માટીથી બનાવ્યા અને જાન્ન (જિન્નાતના બાપ)ને આગની જવાળાથી બનાવ્યો. (સૂ.રહમાન : ૧૪,૧પ) અને અમે ઇન્સાન (આદમ અલયહિસ્સલામ)ને સડેલા કાદવથી બનેલી ખણ- ખણાટવાળી માટીથી પેદા કર્યા અને અમે તેના પહેલાં ગરમ હવામાંની આગથી જાન્ન (જિન્નાતના બાપ)ને બનાવ્યો હતો.(સૂ.હિજ્ર : રપ,ર૬)
- જિન્નાતોમાં સ્ત્રી-પુરૂષ, સારા અને લંપટ (ખરાબ), આલિમ અને જાહિલ (અભણ) દરેક પ્રકારના હોય છે.
કુરઆન શરીફમાં છે : અને એ (લોકોએ કહ્યું) કે અમારામાં પ્રથમથી કોઈ નેક છે અને કોઈ બીજા પ્રકારના બુરા પણ છે. (સૂરએ જિન્ન : ૧૧)
- કુરઆન શરીફમાં જેમને શયાતીન કહેવામાં આવ્યા છે, તે પણ જિન્નાત પૈકી જ શરારતખોર લોકોનું નામ છે.
- કુરઆન શરીફમાં ફરમાવ્યું : અને (તે વખતને યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ (અલૈ.)ની સામે સજદો કરો, તો ઇબ્લિસ સિવાય સૌએ સજદો કર્યો. તે જિન્નાતમાંથી હતો તેથી તેણે પોતાના પરવરદિગારના હુકમોનું ઉલ્લંઘન કર્યું. (સૂરએ કહફ : પ૦)
- શાપિત અને હડધૂત થયેલ ઇબ્લિસ (શયતાન) જીન્નાતોમાંથી જ છે, જેમ કે ઉપર આયતમાં વર્ણન છે.
- નબીએ અકરમ (સલ.) જિન્નાતોના પણ પયગમ્બર છે.
- જિન્નાતો પણ અહકામે ઇલાહી (અલ્લાહ તઆલાના હુકમો)ના પાલન માટે બંધાયેલા છે.
અલ્લાહ પાક ફરમાવે છે : અને મેં જિન્નાત તથા ઇન્સાનને એટલા માટે જ પેદા કર્યા છે કે, મારી બંદગી કર્યા કરે. (સૂરએ ઝારિયાત : પ૬)
- જિન્નાત અને ફરિશ્તાઓનું અસ્તિત્વ કુર્આને કરીમ અને સુન્નતે નબવીનું નક્કર દલીલોથી સાબિત થાય છે, જેનો ઇન્કાર (ન માનવું) કુફ્ર છે.