Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 35 - 36)
જગતની વિવિધ ભાષાઓનો ઈતિહાસ દર્શાવે છે કે કોઈપણ ભાષાની ઉંમર પાંચસો વર્ષથી વધુ નથી હોતી. આ અરસામાં તે એટલી બધી બદલાય જાય છે કે, આવતી પેઢીઓને તે ભાષા સમજવી ઘણી મુશ્કેલ થઈ જાય છે. દા.ત. મી. જાફરે ચાસર અને વિલિયમ સેકસપિયર અંગ્રેજી ભાષાના મહાન સાહિત્યકાર તથા કવિઓ હતા. આજે નવીન અભ્યાસક્રમમાં તેમના સાહિત્ય ભાષાંતર કર્યા બાદ ભણાવવામાં આવે છે, કારણ કે પાંચસોઢસાંતસો વર્ષના અંગ્રેજી શબ્દો આજના અંગ્રેજીથી ઘણા વિભિન્ન હતા, પરંતુ અરબી ભાષા બધી ભાષાઓમાં અપવાદરૂપ છે. પાછલા દોઢ હજાર વર્ષથી અરબી ભાષા એક જ હાલતમાં છે. તેના શબ્દો અને શૈલીમાં પ્રગતિ જરૂર થઈ છે, પરંતુ તે એ પ્રમાણે કે શબ્દો પોતાના પ્રારંભિક અર્થને બાકીરાખીને નવા અર્થોમાં વપરાયા છે. શબ્દોની વિશાળતામાં ઘણા બધા અર્થોનો સમાવેશ થઈ જાય છે. બારસોઢતેરસો વર્ષ પહેલાનો અરબ પણ જો કબરમાંથી ઉઠીને આવે તો આજના આરબોને પણ તેના શબ્દો એ જ પ્રમાણે સરળતાથી સમજમાં આવી જશે, જેવી રીતે તેમના યુગમાં સમજવામાં આવતા હતા. આજે ઈસ્લામી જગતની લાઈબ્રેરીઓ તથા બુક સ્ટોરોમાં તેરસો વર્ષની પુરાણી અરબી કિતાબોનું તે જ પ્રમાણે વાંચન અને વેચાણ થાય છે, જેમ હાલના સમયની કિતાબોનું વાંચન તથા વેચાણ થાય છે. આ કુર્આન શરીફનો ચમત્કાર છે. જાણે કુર્આન શરીફ એ અરબી ભાષાને સુરક્ષિત કરી પકડી રાખી છે. જેવી રીતે કુર્આન શરીફ કિયામત સુધી બાકી રહેશે તેવી જ રીતે અરબી ભાષા જીવંત હાલતમાં બાકી રહેશે. કુર્આન શરીફ કદી પણ ક્લાસિકલ લિટરેચરવાળી અલ્મારીઓમાં જશે નહી, બલ્કે હમેંશા લોકો તેનો અર્થ સમજી પઢી શકશે. આ જ પ્રમાણે કુર્આન શરીફ જે જ્ઞાન અને વિશ્લેષણો દર્શાવે છે, તે પણ હમેંશા બાકી રહેશે. સમય પ્રમાણે વૈજ્ઞાનિકો તેની સચ્ચાઈના પુરાવા રજુ કરતા રહેશે.
Log in or Register to save this content for later.