Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 28 )
અઢારમી અને ઓગણીસમી સદીના વૈજ્ઞાનિકો એમ સમજતા હતા કે, વીસમી સદીમાં માનવી પોતાની બુધ્ધિ અને દિમાગથી એવા એવા ગુંચવડભર્યા પ્રશ્નો હલ કરી લેશે કે, તેને પછી ધર્મની કોઈ જરૂરત નહીં રહેશે. પરંતુ એમની આગાહી ખોટી પડી અને હવે દર્શાવેલ શિર્ષકોની વિગતવાર રિપોર્ટો છપાઈ રહી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, માનવીના પોતાની ટેકનોલોજીથી બધા પ્રશ્નો હલ થવાની જગ્યાએ નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, જેના હલનો કોઈ માર્ગ ન મળતાં તે કંટાળી ગયો છે. કરોડપતિઓ જીવનની માયાજાળથી કંટાળી આપઘાત કરવા માંડ્યા.
Log in or Register to save this content for later.